ગાંધી પરિવારને ગાળો દેવા સિવાય મોદી પાસે કોઈ કામ નથી : મલ્લિકાર્જુન ખડગે

Spread the love

Mallikarjun Kharge Rally: જયપુરમાં કોંગ્રેસના ઘોષણાપત્રને જાહેર કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગેરંટી શબ્દ કોંગ્રેસનો છે, જેને મોદીએ ચોરી લીધો.

આ પણ વાંચો – 8 એપ્રિલે પૃથ્વી પર ફેલાય જશે અંધકાર, સર્જાશે અદ્ભુત નજારો

PIC – Social Media

Mallikarjun Kharge Rally: જેમ જેમ લોકસભા ચૂંટણી 2024ની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હુમલાઓ પણ વધી રહ્યા છે. શનિવારે (06 એપ્રિલ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જયપુરમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી પાસે ગાંધી પરિવારને ગાળો આપવા સિવાય કોઈ કામ નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તેમણે કહ્યું કે, “મોદીજી કહે છે કે દેશનો વિકાસ થયો છે. તેની પાસે ખોટુ બોલવા સિવાય કોઈ ગેરંટી નથી. મોદીજી હંમેશા લોકોને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસે 55 વર્ષમાં શું કર્યું તેનો હિસાબ તેઓ આપી રહ્યા છે. મોદીજીમાં બોલવાની તાકાત નથી માત્ર ગાંધી પરિવારને ગાળો દેવીની તાકાત છે. મોદીજી પોતાની ગેરંટીમાં બીજેપીનું નામ નથી લેતા. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા હતા. ચીનવાળા આવીને ધીમે ધીમે કબ્જો કરી રહ્યાં છે. શહેરના નામ બદલાવી રહ્યાં છે. ગેરંટી અમારો શબ્દ છે. મોદીએ ચોરી લીધો. જે ગેરંટી અમે હિમાચલ અને કર્નાટકમાં આપી તેને લાગુ કરી.”

‘મોદીની ગેરંટી ખોટી છે’

પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તો તેઓ ખોટુ બોલી શકે છે. યુવાનોને નોકરી આપવાની બાંયધરી આપી પરંતુ શું 2 કરોડ નોકરીની ગેરંટી પૂરી કરી? તે વિદેશમાંથી કાળું નાણું લાવીને દેશની જનતાને આપશે. શું તેણે લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવ્યા? ખેડૂતોની આવક વધશે, આવું થયું? મોદીજી જૂઠાણાના માસ્ટર છે. “જેણે તેની બાંયધરી પૂરી કરી નથી તેને મત આપવાનો અધિકાર પણ નથી.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, “અમે રેલ્વે પાટા પાથર્યા, મોદી માત્ર ટ્રેનોને લીલી ઝંડી આપી રહ્યા છે. નરેન્દ્ર મોદી પાસે આપવાની કોઈ ગેરંટી નથી. અમારી સરકારે ગેરંટી પૂરી કરી છે. તેમની પાસે ખોટુ બોલવા સિવાય કોઈ ગેરંટી નથી.”