બેંકોમાં અઠવાડિયામાં 5 કામકાજના દિવસોનો પ્રસ્તાવ સરકાર પાસે પહોંચ્યો છે. રાજ્યસભા (Rajya Sabha MP)ના સાંસદ સુમિત્રા બાલ્મીકે ગૃહમાં

બેંક કર્મચારીઓને બખ્ખાં દર અઠવાડિયે મળશે 2 રજા, જાણો સંપૂર્ણ વિગત

Spread the love

Bank Holidays: બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવે બેંકોમાં કર્મચારીઓને દર અઠવાડિયે 2 રજાઓ મળશે. સરકાર ટૂંક સમયમાં તમામ બેંકોમાં શનિવારની રજા જાહેર કરવાનો નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં બેંકોમાં અઠવાડિયામાં 5 કામકાજના દિવસોનો પ્રસ્તાવ સરકાર પાસે પહોંચ્યો છે. રાજ્યસભા (Rajya Sabha MP)ના સાંસદ સુમિત્રા બાલ્મીકે ગૃહમાં નાણા મંત્રાલયને આ મામલે પ્રશ્નો પૂછ્યા હતા. આના જવાબમાં નાણા રાજ્યમંત્રી ડો.ભગવત કરડે સ્વીકાર્યું કે અઠવાડિયામાં 5 કામકાજના દિવસોનો પ્રસ્તાવ મળ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જાણો સંપૂર્ણ વિગત

સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)એ તમામ શનિવારને બેંકોમાં રજા તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તમને જણાવી દઈએ કે IBA દેશની જાહેર ક્ષેત્રની બેંકોની મેનેજમેન્ટ સંસ્થા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શું હતો પ્રશ્ન

રાજ્યસભાના સાંસદ સુમિત્રા બાલ્મીકે (Sumitra Balmik) પૂછ્યું હતું કે શું બેંકોમાં 5 દિવસીય કાર્ય યોજનાના અમલને લઈને બેંક યુનિયન અથવા ઈન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA દ્વારા કોઈ માંગ કરવામાં આવી છે? આને અમલમાં મૂકવાની યોજના શું છે? આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે ”હા, IBAએ તમામ શનિવારને બેંકિંગ રજાઓ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ”

20.8.2015ના નોટિફિકેશન મુજબ દર મહિનાના બીજા અને ચોથા શનિવારને બેંકો માટે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જો સરકાર આ પ્રસ્તાવ પાસ કરે છે તો બેંક કર્મચારીઓ ઉપરાંત ગ્રાહકોને પણ ઘણી સુવિધા મળશે.

આ પણ વાંચો: દેશી-વિદેશી સહિત બે લાખથી વધુ મુલાકાતીઓએ લીધી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.