ઘાયલ પશુ પક્ષીઓ માટે કરૂણા અભિયાનનો અનોખો સેવાયજ્ઞ

Spread the love

ગુજરાતમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો 750થી વધુ વેટરનિટી તબીબો અને 77 હજાર વધુ સ્વયંસેવકો
પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો 8320002000 નંબર પર વોટ્સઅપ દ્વારા મેળવી શકાશે

આ પણ વાંચો : 14 January : જાણો, આજનો ઈતિહાસ

Karuna Abhiyan : આજે ઉત્તરાયણ (Uttarayn) એટલે કે મકરસંક્રાંતિ (MakarSankranti) બાળકોથી માંડી વડીલો સુધી આજે દરેક લોકો પતંગના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે આપણી મજા પશુ પક્ષી માટે મોતની સજા ન બની જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આવા મુંગા પશુ પક્ષીઓ મદદ માટે 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો 750થી વધુ વેટરનિટી તબીબો અને 77 હજાર વધુ સ્વયંસેવકો કરૂણા અભિયાન (Karuna Abhiyan)માં જોડાયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bupendra Patel) 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી – 2024 સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી (Kait) પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં (Wild Life Care Center) ઓપરેશન થિયેટર, ઓપીડી, એક્સરે રૂમ તથા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી.

2017થી ચાલી રહેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.10 થી 20 જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી-2024 દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન (Karuna Abhiyan) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં યોજાઈ રહ્યું છે.

આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જીવો, જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે.

તદ્દઅનુસાર, વોટ્સએપ 8320002000 ઉપર મેસેજ કે મિસ કોલ કરો ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને એ વેબસાઇટ ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહીં વનવિભાગના હેલ્પ લાઇન નંબર 1926 તેમજ પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 900થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 700થી વધારે વેટરનિટી તબીબો તેમજ 77000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગયા વર્ષે કુલ 13,008 પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.