10 December : જાણો, આજનો ઈતિહાસ

Spread the love

10 December History: દેશ અને દુનિયામાં 10 ડિસેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 10 ડિસેમ્બર (10 December History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.

આ પણ વાંચો : હિન્દુ ધર્મમાં શા માટે થાય છે એક જ ગોત્રમાં વિવાહ, જાણો કારણ

10 ડિસેમ્બરનો ઇતિહાસ (10 December History) આ મુજબ છે.

2004 : અનિલ કુંબલે ઢાકામાં રમાયેલી ટેસ્ટમાં કપિલ દેવને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો હતો.
2002 : અમેરિકાની બીજી સૌથી મોટી એરલાઇન કંપની યુનાઇટેડ એરલાઇન્સને નાદાર જાહેર કરવામાં આવી હતી.
2000 : નવાઝ શરીફ અને તેમના પરિવારને 10 વર્ષ માટે પાકિસ્તાનમાંથી નિર્વાસિત કરવામાં આવ્યા હતા.
1998 : અમર્ત્ય સેનને સ્ટોકહોમમાં અર્થશાસ્ત્ર માટે 1998 નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
1994 : યાસર અરાફાત, વિત્ઝાક રાબિન અને શિમોન પેરેસને સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
1992 : દેશની પ્રથમ હોવરક્રાફ્ટ સેવા ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી.
1991 : કઝાકિસ્તાને સોવિયત સંઘથી સ્વતંત્રતા જાહેર કરી.
1963 : આફ્રિકન દેશ ઝાંઝીબારે બ્રિટનથી આઝાદી મેળવી.
1961 : સોવિયત સંઘ અને અલ્બેનિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોનો અંત આવ્યો હતો.
1960 : પ્રતિબંધિત આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતા અને નોબેલ પુરસ્કાર એનાયત આલ્બર્ટ લુથલીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સમાપ્ત કરવાની અપીલ કરી હતી.
1947 : સોવિયેત સંઘ અને ચેકોસ્લોવાકિયા વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા.
1903 : પિયર ક્યુરી અને મેરી ક્યુરીને ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.
1902 : તાસ્માનિયામાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

10 ડિસેમ્બરે જન્મેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ

1908 : ભારતીય પુરાતત્વવિદ્ ધીરજલાલ સાંકલિયાનો જન્મ થયો હતો, જેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1902 : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ એસ. નિજલિંગપ્પાનો જન્મ થયો હતો.
1888 : સ્વતંત્રતા સેનાની પ્રફુલ્લચંદ ચાકીનો જન્મ થયો હતો.
1878 : ભારતના પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને પત્રકાર મોહમ્મદ અલીનો જન્મ થયો હતો.
1878 : રાજકારણી અને ફિલોસોફર ચક્રવર્તી રાજગોપાલાચારીનો જન્મ થયો હતો.

આ પણ વાંચો : Aaj nu Rahifal કેવો રહેશે આપનો દિવસ જાણો

10 ડિસેમ્બરે નિર્વાણ પામનાર પ્રસિદ્ધ વ્યક્તિઓ

2009 : લેખક, કવિ અને વિવેચક દિલીપ ચિત્રેનું નિધન થયું હતું.
2001 : ભારતીય અભિનેતા અશોક કુમારનું અવસાન થયું હતું.
1995 : સ્વતંત્રતા સેનાની અને પ્રખ્યાત નેતા ચૌધરી દિગંબર સિંહનું અવસાન થયું હતું.
1896 : નોબેલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલનું અવસાન થયું હતું.